(બૃહદારણ્યકોપનિષદ)

સર્વ વસ્તુઓને માત્ર આત્મા દ્વારા અને આત્મા માટે જ ચાહો. યાજ્ઞવલ્કયે પોતાની પત્ની મૈત્રેયીને કહ્યુંઃ ‘આત્મા દ્વારા જ આપણે સઘળું જાણીએ છીએ.’ આત્મા કદી જ્ઞાનનો વિષય થઈ શકે નહીં, તેમ જ જ્ઞાતા કદી પણ જાણી શકાય નહીં. જે જાણે છે કે પોતે આત્મા છે, તે પોતે પોતાનો શાસક છે; તે જાણે છે કે પોતે જ વિશ્વ અને તેનો સ્રષ્ટા છે…

* * *

જૂની પુરાણ કથાઓને રૂપકોના રૂપમાં સદા જીવંત રાખીને તેમને વધારે પડતું મહત્ત્વ આપવાથી વહેમો વધે છે અને ખરી રીતે તે નિર્બળતા છે. સત્યમાં સમાધાન કરવાનું હોવું જ ન જોઈએ. સત્યનો ઉપદેશ આપો અને કોઈ પણ વહેમનો બચાવ ન કરો; તેમ જ સત્યને શ્રોતાની ભૂમિકા સુધી નીચે ન લઈ જાઓ.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories