
(ભોજન થઈ રહ્યા પછી એક ટૂંકો વાર્તાલાપ થયો હતો, તે વાર્તાલાપ દરમિયાન સ્વામીજીએ કહ્યુંઃ)
ભ્રમણા ભ્રમણાને ઉત્પન્ન કરે છે; ભ્રમણા પોતાને ઉત્પન્ન પણ કરે અને પોતાનો વિનાશ પણ કરે છે; આવી છે માયા. (કહેવાતું) બધું જ્ઞાન માયા ઉપર રચાયેલું હોવાને લીધે એ એક અવળચંડું વર્તુળ હોઈ કાળક્રમે તે જ્ઞાન પોતે જ પોતાનો વિનાશ કરે છે. ‘દોરડાને જવા દો.’ ભ્રમણા આત્માને અડકી ન શકે. જ્યારે આપણે દોરડાને પકડીએ છીએ – માયા સાથે તાદાત્મ્ય સાધીએ છીએ – ત્યારે તે આપણા ઉપર સત્તા ચલાવે છે. તેને જવા દો, માત્ર ‘સાક્ષી’ બનો. ત્યારે જ તમે સ્વસ્થ ચિત્તે વિશ્વરૂપી ચિત્તની બરાબર પ્રશંસા કરી શકશો.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો



