નરેન બાલ્યાવસ્થાથી જ નીડરતાનો ગુણ ધરાવતો હતો. પોતાની વ્યક્તિગત સુવિધા અને સલામતીની પરવા કર્યા વિના તે બધાનો હિંમતપૂર્વક સામનો કરતો.

એકવાર તે પોતાના નાના પિત્રાઈ ભાઈને લઈને મંદિરના ઉત્સવમાં ભાગ લેવા જતો હતો. રસ્તા પર બન્ને ચાલતા જઈ રહ્યા હતા. તે સમયે તોફાની ઘોડાવાળી ઘોડાગાડી તીવ્ર ઝડપે જતી હતી. નરેનનો પિત્રાઈ ભાઈ ઘોડાગાડી નીચે કચડાઈ જવામાં જ હતો. બરાબર ત્યારે જ નરેન દોડ્યો અને તેને ખેંચી લીધો.

આ ઘણું જોખમી કાર્ય હતું, કદાચ તેઓ બન્ને કચડાઈ જાત. જ્યારે પછીથી નરેનનાં માતાએ આ ઘટના વિશે જાણ્યું, ત્યારે તેમણે આંખોમાં આંસુ સાથે નરેનને આશીર્વાદ આપ્યા,

‘નરેન, હંમેશાં મરદ બની રહેજે!’

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts