નરેન મોટો થતાં તેની તીક્ષ્ણ બુદ્ધિ અને પ્રશ્નો કરવાની શક્તિ વધતી ગઈ. તે ભગવાનના અસ્તિત્વ વિશે ઘણી શંકાઓ કરવા લાગ્યો.

ગૂંચવાયેલો હોવા છતાં પણ પોતાના સંશયોના નિરાકરણ માટે ઉત્સુકતાથી તે સમયના પ્રખ્યાત વિદ્વાનોને મળીને તેમને પૂછતો ઃ ‘મહાશય, આપે ઈશ્વરને જોયો છે?’

કોઈ પણ તેને સીધો કે સ્પષ્ટ જવાબ આપી શકતા નહીં. કોઈ તેને ધ્યાન કરવાનું કહેતા, તો વળી કોઈ તેની ઉત્સુક્તાની પ્રશંસા કરતા પણ કોઈ તેના પ્રશ્નનો સંતોષકારક જવાબ આપી શક્યા નહીં.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts