ઈ.સ. ૧૮૮૬માં મહાસમાધિ પહેલાં શ્રીરામકૃષ્ણે પોતાની બધી આધ્યાત્મિક શક્તિઓ નરેન્દ્રને સોંપી દીધી.

થોડા સમય પછી નરેન્દ્ર અને શ્રીરામકૃષ્ણના બીજા સંન્યાસી શિષ્યોએ ઉત્તર કોલકાતામાં વરાહનગરના એક ખંડિયેર જણાતા મકાનમાં મઠની સ્થાપના કરી.

અહીં જરૂરિયાતની ચીજવસ્તુઓનો અભાવ હતો. કેટલીક વાર તો પૂરતાં વસ્ત્રો કે ભોજન પણ ન હોય. છતાં પણ તેઓ બધો જ સમય આધ્યાત્મિક સાધના કરવામાં ગાળતા.

થોડા મહિના પછી નરેન્દ્રે બીજા ગુરુભાઈઓની સાથે વિધિવત્ સંન્યાસ ગ્રહણ કર્યાે અને આમ તેઓ નરેન્દ્રમાંથી બન્યા સ્વામી વિવેકાનંદ.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts