ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિચારોનો ઉપદેશ આપીને અમેરિકા અને ઈંગ્લેન્ડમાં સાડા પાંચ વર્ષ સુધી રહ્યા બાદ સ્વામીજી ૧૮૯૭માં ભારત પાછા ફર્યા.

તેઓ ભારતના જે નગરોમાંથી પસાર થયા ત્યાં તેમનું એક વીરને શોભે તેવું ભવ્ય સ્વાગત થયું.

તેઓએ પોતાનાં ભાષણોમાં જરૂરિયાતવાળા અને દરિદ્રનારાયણની સેવાને પ્રભુની પૂજારૂપે કરવા વિશે ભારપૂર્વક જણાવ્યું.

પ્રત્યેકમાં ઈશ્વરનું દર્શન કરવા પર તેમણે ભાર મૂક્યો અને એ જ ધર્મનો તેમજ આધ્યાત્મિક સાધનાનો સારાંશ છે. તેમણે કહ્યું હતું કે માનવજાતની સેવા કરવી એ જ પ્રભુનું પૂજન કરવા સમાન છે.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts