શ્રીમાની રોજની દિનચર્યા વહેલી સવારે ૩ વાગ્યે શરૂ થતી અને મોડી રાતના ૧૧ સુધી ચાલુ રહેતી. તેઓ શ્રીરામકૃષ્ણદેવ અને તેમની પાસે આવતા ભક્તો માટે રસોઈ કરતાં અને ઘરની અન્ય જવાબદારીઓ પણ સંભાળતાં.

તેઓ કોઈપણ બાબતને ભૂલ્યા વિના મા તરીકે સહજપણે સાર-સંભાળ રાખતાં. દરેકને તેમનો પ્રેમ અને અનુકંપા સ્પર્શી જતાં.

શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી તેમના શિષ્યો પોતાની આધ્યાત્મિક જિજ્ઞાસા સંતોષવા અને માર્ગદર્શન માટે શ્રીમાનું શરણ લેતા. તેમણે આ નવી ભૂમિકાને પણ કુશળતાપૂર્વક નિભાવી હતી. બધા જ શિષ્યો અને ભક્તો તેમની તરફ પૂજ્યભાવ ધરાવતા.

શ્રીરામકૃષ્ણદેવની વિદાય વેળાએ તેઓ માત્ર ૩૩ વર્ષનાં હતાં.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts