અમજદ નામનો એક ગરીબ મુસ્લિમ નાની મોટી લૂંટફાટ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એને શ્રીમાના સંપર્કમાં આવવાનું થયું.

એક દિવસ શ્રીમાએ તેને ભોજન લેવા બોલાવ્યો. તેને ભોજન અપાયું. જે સ્ત્રી પીરસતી હતી તેનો અમજદ સાથેનો વ્યવહાર નમ્રતાને બદલે અવિનયી હતો. તે થોડે દૂર ઊભી રહીને તેની થાળીમાં ભોજન ફેંકતી હતી. આથી શ્રીમાને ઘણું જ દુઃખ થયું.

માએ તેને કહ્યું, ‘આવી રીતે પીરસે તો કોઈ પણ કેવી રીતે ભોજન કરી શકે? મહેરબાની કરી મને આપ હું તેને પીરસીશ.’

ભોજન કરાવ્યા પછી એની એંઠી થાળી માએ ઉપાડી અને એ જગ્યા સાફ પણ કરી.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts