સતત ધ્યાન અને શરીરની ઉપેક્ષાને અંતે શ્રીરામકૃષ્ણ અસાધ્ય ગળાના કેન્સરનો ભોગ બન્યા. ગંભીર માંદગી હોવા છતાં શ્રીરામકૃષ્ણનું મુખારવિંદ દિવ્યહાસ્યથી પ્રસન્ન જણાતું. મહાસમાધિના ત્રણ દિવસ પહેલાં પોતાની બધી આધ્યાત્મિક સંપદા તેમના શિષ્ય વિવેકાનંદને સોંપી દીધી અને મહાન રહસ્યની તેને ખાતરી કરાવી કે ‘જે રામ હતા, જે કૃષ્ણ હતા, એ જ અત્યારે રામકૃષ્ણરૂપે આવ્યા છે.’

૧૬ ઓગસ્ટ, ૧૮૮૬ના રોજ શ્રીરામકૃષ્ણ મા કાલીનું નામ ઉચ્ચારતા રહીને મહાસમાધિ પામ્યા. ગુરુદેવ હવે આપણી સાથે દેહરૂપે રહ્યા નથી. પણ જ્ઞાનનો એક અમૂલ્ય વારસો અને આધ્યાત્મિક અનુભૂતિઓનો ખજાનો આપણા માટે મૂકતા ગયા છે. તેમના ઉપદેશો એટલા તો સરળ છે કે નાનું બાળક પણ તેને સમજી શકે. પવિત્ર જીવન વિતાવવું અને આપણી જાતની અંદર શ્રીરામકૃષ્ણ જ શક્તિ, તેજ અને કૃપાનો રૂપે રહેલા છે તેવો અનુભવ કરવો.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts