વર્ષાે સુધી શ્રીરામકૃષ્ણે વિવિધ ધર્માેની આધ્યાત્મિક સાધના કરી. પછીથી તેઓ તેમના શિષ્યોને ઉપદેશ આપતા કે ઈશ્વર એક જ છે, લોકો તેને જુદાં જુદાં નામે બોલાવે છે – જેમ કે કૃષ્ણ, શિવ અને રામ. એ તળાવમાં રહેલા પાણી જેવું છે. કોઈ એક સ્થળેથી પાણી પીએ અને કહેશે ‘જળ’, બીજા લોકો બીજી બાજુથી લેશે અને તેને કહેશે ‘પાણી’; તો વળી કેટલાક ત્રીજી જગ્યાએથી પાણી પીશે અને કહેશે ‘વોટર’ પણ પાણી તો એ જ છે. તેનાં જ જુદાં જુદાં નામ છે. ઈશ્વરના દરેક સ્વરૂપને લઈને તેમણે દર્શન કર્યાં હતાં. એક દિવસ તેમને સીતાનાં દર્શનથી રોમાંચ થયો હતો. તેઓ દક્ષિણેશ્વરના બગીચામાં ‘પંચવટી’ નામની સુંદર શાંત જગ્યાએ બેઠા હતા. અચાનક એક આકર્ષક સ્ત્રીની આસપાસ આંજી નાખે તેવો એક પ્રકાશ તેમણે જોયો, એક વાંદરાએ તેમના ચરણે નમન કર્યું. શ્રીરામકૃષ્ણમાં સીતા એકરૂપ બન્યાં અને તેમનું પ્રસન્નતાપૂર્વકનું હાસ્ય તેમના તરફ રેલાવ્યું.

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories