શ્રીશારદાદેવીનો જન્મ અને ઉછેર પવિત્ર પણ રૂઢિગત પરિવારમાં થયો હતો. એક સામાન્ય ગ્રામીણ ભારતીય કન્યા તરીકે તેઓ ઊછર્યાં.

પોતાના આખા પરિવારમાં તેઓ સૌથી મોટી દીકરી હતાં એટલે નાની ઉંમરે જ તેમને ઘણાં કઠિન કામ કરવાં પડતાં હતાં.

તેઓ તેમનાં માતાને દૈનંદિન ઘરકામમાં મદદરૂપ થતાં – જેવાં કે રસોઈ કરવી, નાનાં ભાઈબહેનોનું ધ્યાન રાખવું, ગામના તળાવમાંથી પાણી ભરી લાવવું અને તેવાં બીજાં ઘણાં કામો.

આવડી નાની ઉંમરે તેઓે તરતાં, ગાતાં, સીવતાં, ભરતાં અને રસોઈ કરતાં પણ સારી રીતે શીખ્યાં હતાં.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts