ફલહારિણી કાલીપૂજાના પાવનકારી દિવસે શ્રીરામકૃષ્ણે પોતાના ઓરડામાં ષોડશીપૂજાની તૈયારી કરાવી. શ્રીમા શારદાદેવીને પણ ત્યાં હાજર રહેવા જણાવી દીધું હતું.

દેવીપૂજન માટે રાખેલ આસન પર બેસવા શ્રીમાને શ્રીરામકૃષ્ણદેવે કહ્યું. ગાઢ આધ્યાત્મિક ભાવમાં શ્રીમા શારદાદેવીએ આ સૂચનાનું પાલન કર્યું.

એ પછી શ્રીરામકૃષ્ણદેવે જગન્માતા તરીકે શ્રીમાની પૂજા કરી. પૂજા પૂરી થયા પછી એમણે પોતાની જાતને, જીવનભરની સાધનાના ફળને અને જપમાળાને શ્રીમાને ચરણે અર્પણ કર્યાં.

આમ, ષોડશીપૂજા દ્વારા શ્રીરામકૃષ્ણદેવે વિશ્વ કલ્યાણાર્થે પોતાના આધ્યાત્મિક સંદેશને વહેતો કરવા શ્રીમા શારદાદેવીને તૈયાર કર્યાં.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts