
આ સમયે સમૃદ્ધ અને ઉદાર રાણી રાસમણિએ કોલકાતાની ઉત્તરે ચાર માઈલ દૂર આવેલા દક્ષિણેશ્વર ગામે જગજ્જનની શ્રીમા કાલીના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તેમણે રામકુમારની અને ગદાધર ‘રામકૃષ્ણ’ તરીકે ઓળખાતા તેના નાના ભાઈની મંદિરના એક પૂજારી તરીકે નિમણૂક કરી હતી. શ્રીરામકૃષ્ણ જગજ્જનની માની મૂર્તિ સમક્ષ કલાકો સુધી ધ્યાન માટે બેસી રહેતા. તેમને એવી અનુભૂતિ થતી કે પોતે એક પથ્થરની મૂર્તિ સમક્ષ નહિ પણ ચિન્મયી જગન્માતા સમક્ષ છે.
આ પુસ્તક ઓનલાઇન ખરીદો



