૧૮૪૯માં ગદાધરના મોટાભાઈ રામકુમાર આજીવિકા મેળવવા કોલકાતા ગયા. પંદર વર્ષની વયે ગદાધર પણ ભાઈ સાથે કોલકાતા ગયો. શહેરનાં ઘણા પરિવારમાં તે પૂજા કરાવવા જતો. મોટા ભાગનો સમય તે દેવ-દેવીઓનાં સુશોભનમાં વિતાવતો. તે ભક્તિગીતો ઘણા આવેશ સાથે ગાતો. પરંતુ રામકુમારને લાગતું કે ગદાધરે ઔપચારિક શિક્ષણ લેવું જોઈએ. પણ ગદાધરે એમ કહીને વિરોધ કર્યાે, ‘માત્ર દાળ-રોટલી મળી રહે તેવું શિક્ષણ લઈને હું શું કરીશ?’ તેને તો સર્વાેચ્ચ સત્ય વિશે જાણવામાં રુચિ હતી. તેને ખાતરી થઈ હતી કે માનવજીવનનું લક્ષ્ય ઈશ્વર પાપ્તિ છે. સર્વત્ર તેની ઉપસ્થિતિ છે, તેની અનુભૂતિ કરવી, તેનાં દર્શન કરવાં અને તેનો અવિરત આનંદ માણવો જ એ જ ખરો ઉદ્દેશ છે.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts