અહીં કામારપુકુરમાં શ્રીરામકૃષ્ણનાં માતાને કહેવાયું હતું કે તમારો પુત્ર તો ગાંડો થઈ ગયો છે. તેમણે ચિંતિત બનીને પોતાના પુત્રને પોતાની પાસે તરત આવી જવા કહેવડાવ્યું. માતાની ઇચ્છા સ્વીકારીને શ્રીરામકૃષ્ણ કામારપુકુરમાં તેમની સાથે રહેવા ગયા હતા. ચંદ્રામણિને થયું કે ગદાઈની ઘેલછાનો એકમાત્ર ઉપાય લગ્ન છે. તેના સંબંધીઓએ આસપાસ દૂર સુધી સુયોગ્ય વધૂની શોધ ચલાવી, પણ બધું વ્યર્થ. એક દિવસે શ્રીરામકૃષ્ણે તેમને કહ્યું, ‘તમે તમારો સમય શા માટે બગાડો છો? જયરામવાટી ખાતે રામચંદ્ર મુખરજીના ઘેર જાઓ, મારે માટે વધૂ ત્યાં છે.’

આમ પાંચ વર્ષની શારદાની શ્રીરામકૃષ્ણની વહુ તરીકે પસંદગી કરવામાં આવી હતી. લગ્ન પછી શ્રીરામકૃષ્ણ ૧૮ માસ સુધી કામારપુકુર રહ્યા હતા. ત્યાર બાદ તેઓ દક્ષિણેશ્વર પાછા ફર્યા હતા. તેમનું ‘ગાંડપણ’ તેમની સાથે પાછું ફર્યું. તેઓ ધ્યાન અને પ્રાર્થનામાં સમય વિતાવતા હતા. શ્રીરામકૃષ્ણ દિવસો સુધી ન તો ભોજન કરતા કે ઊંઘ લેતા.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts