શ્રીરામકૃષ્ણે બીજા એક માર્ગનું અનુસરણ કર્યું હતું. અંતિમ સત્યે પહોંચવાના અદ્વૈત માર્ગનો પરિચય તોતાપુરી નામના એક સંન્યાસીએ તેમને કરાવ્યો.

પરિભ્રમણ દરમિયાન એક દિવસ તોતાપુરી દક્ષિણેશ્વર આવ્યા. શ્રીરામકૃષ્ણના આધ્યાત્મિક તેજથી તેઓ ઘણા પ્રભાવિત થયા. દક્ષિણેશ્વરના સંત ત્યાં સુધી ભગવાનના સાકાર રૂપને લઈને ધ્યાનમગ્ન રહેતા. તેમણે શ્રીકાલી, શ્રીરામ, શ્રીકૃષ્ણ વગેરે સાકાર સ્વરૂપોનો સાક્ષાત્કાર કર્યાે હતો. હવે, શ્રીમા કાલીની સંમતિ સાથે અંતિમ સત્યને નિરાકારરૂપે પામવા તોતાપુરી દ્વારા દીક્ષા ગ્રહણ કરી.

તેમણે તીવ્રતાસહ ધ્યાન ધર્યું અને સર્વત્ર રહેલ એ સર્વાેચ્ચ સત્તામાં એકરૂપ બની જવાય એવી એક અવસ્થા-ઊંડી સમાધિમાં ડૂબી ગયા. આ સમાધિ અવસ્થામાં તેઓ સતત ત્રણ દિવસ રહ્યા. તોતાપુરી હતપ્રભ થઈ ગયા. તેમણે શ્રીરામકૃષ્ણને સભાન અવસ્થામાં લાવવા તેમના કાનમાં ઘણીવાર ‘હરિ ૐ’નું ઉચ્ચારણ કર્યું. તેમણે આશ્ચર્યચકિત અને પ્રસંશા સાથે કહ્યું, ‘આવી અવસ્થા માટે મારે આશરે ચાલીશ વર્ષાે લાગ્યાં, આ શિષ્યે તો તેવી અવસ્થા ત્રણ જ દિવસમાં સિદ્ધ કરી છે.’

આ જ રીતે ભિન્ન ભિન્ન માર્ગે એ જ પરમ સત્યને પામવા તેમણે બીજા ધર્માેની પણ સાધના કરી.

આમ અનેક મત-પથના પોતાના અનુભવે સમૃદ્ધ અને શક્તિસંપન્ન થયા પછી શ્રીરામકૃષ્ણે અધિકારપૂર્વક વૈશ્વિક ધર્મનો ઉપદેશ આપવામાં કૌશલ્ય મેળવ્યું.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts